Saturday, January 9, 2010

ક્યાં જાય આ આગ - કેતન શુક્લ
આજે યુવાનોમાં રહેલી આગને કાઢવાની કોઇ દિશા નથી. ક્યાં મર્દાનગી કે કૌવત બતાવવું એજ સમજાતું નથી. માટેજ તો સીગારેટ ફુંકી,બાઇકિંગ કરી કે નાના મોટા છમકલાઓ કરી સંતોષ માને છે પણ તેનાથી કંઇ વળતું નથી. મને તો આ ત્રાસવાદી છોકરાઓના dedication અને determination માટે માન થઇ જાય છે. સાચા ખોટાને બાજુ પર રાખીએ તો ક્યાં છે આપણાંમા આવી સમર્પણ ભાવના કે કોઇ કામ,વિચાર,હેતુ માટે આપણેં ફના થઇ શકીએ. એ યુવાનો પણ આ જ દિશાહીનતાનો ભોગ બને છે અને ખોટા લોકો તેની શક્તિનો દૂરઉપયોગ કરે છે કારણકે સારા લોકો એ આગને દિશાભાન નથી કરાવી શકતાં. બાકી એ યુવનોએ એટલુંતો કર્યુ કે પોતાની માન્યતા કે ઇચ્છા પ્રમાણેં જીવી કે મરી ગયા. શું આપણેં આપણીં માન્યતા પ્રામાણેં જીવી શકીએ છીએ? ઓફિસે બોસ અને ઘરે પત્નિ વચ્ચે આપણેં ટેનિસ બોલથી વધારે કશું નથી જણાંતા.
બાળપણથીજ મા-બાપ બાળક પર બેસી જાય અને પછી શિક્ષકો અને તેમની નઠારી શિસ્ત અને પછી શિક્ષાઓ પછી ક્યાં જાય આ આગ ? મનને નથી ઉગવાનો અવકાશ મળતો, નથી સમજવાનો સમય,નથી તરંગોને કેનવાસ પર ઉતારવાની તક કે ન તો બહદૂરી બતાવવાની રીત પછી એ આગ ઓલવાઇ જાય અને યા તો બંડ પોકારે તો તેમાં તેનો શું વાંક? છતા આપણે વાંક તો તેમનો જ કાઢીએ કારણકે આપણે તો ડાહ્યા સવારે ઓફિસ અને સાંજે સમાજ બધાને સાંચવીએ જાણેકે આપણેં એ માટે જ સરજાયા હોઇએ અને બાકી અખબાર, ટીવી,ગપ્પા,પાર્ટી, સાથે ઓળખાણોં એટલે આપણેં. દસ,વિશ કે પચાસ વર્ષ પાછળ જઇને વિચારીએ તો શું આપણે આપણું જીવન આવુંજ કલ્પ્યું હતુ ? અને આ પ્રશ્નનો જવાબ ના જ હોવો જોઇએ, જો આપણે ખરેખર વિચારશીલ હોઇએ તો ! કરણકે વિચારો કરતાં આપણેં હંમેશા પાછળ રહી જઇએ છીએ.
આ આગને દિશાની જરુર છે, બંધન અને રુંધનની નહી. ખુલ્લી હવાની જરુર છે,સોનાના પિંજરાની નહી. અદભુત તાકાત છે આ મુક્તતામાં ને એમાં જ ખરું સર્જન થાય છે. મારા કામોમાં મે માત્ર આટ્લુંજ કર્યુ છે અને ઉત્તમ સર્જન અને જબરજસ્ત આનંદ મળ્યો છે. સજ્જનોની નિષ્ક્રિયતા અથવા ભીરુતાને કારણે જ દુર્જનો ફાવ્યા છે એટ્લેજ આવતી પેઢીનો સજ્જન ભીરું તો નહિ જ જોઇએ, એટ્લે જે કરવું પડે તે કરવું, આવી મારી સમજણ વકરી છે. આવી સ્થિતિનું સર્જન આપણે કર્યુ છે કે જ્યાં માથું મુકવા કરતા કોઇ પણ સ્થિતિને સ્વીકારવાનું પસંદ છે. ક્યાં છે ખુમારી ? સ્વમાન ખાતર કે બીજાને ખાતર પ્રાણ અર્પી દેવાની તાકાત. આપણાં આત્મા સુધી ગુલામી પ્રસરી ચુકી છે. આ બહુ સુક્ષ્મ પણ વ્યાપક વાત છે. રાજાઓ બદલાતાં રહે છે પણ ગુલામ માનસ ગુલામ જ રહે છે. જયાં સુધી આ માનસમાં રહેલી ગુલામીને નહી ખેંચી કાઢીએ ત્યાં સુધી આપણે સાચી મુક્તિ નહી પામી શકીએ અને તે માટે જરુર છે એવા બહાદુર મનની અને એ મનને જરુર છે મુક્તિની. જો આપણે તેમના ઉપરથી માત્ર ખસી જઇ શકીશું તો બહુ મોટો ઉપકાર થશે બીજુંબધુ તેમના પર છોડીએ, આપણે ઘણું કરી લીધું છે.
ખોલો ખોલો દરવાઝે, પરદે કરો કીનારે, ખુંટેસે બંધી હૈ હવા મીલકે છુડાઓ સારે ,આજાઓ પતંગ લેકે અપનેહી રંગ લેકે આસમાંકા શામ્એઆના હૈ હમે સજાના, ક્યું ઇસ કદર હેરાન તું, મૌસમકા હૈ મહેમાન તું , દુનિયા સજી તેરે લીયે ,ખુદકો ઝરા પહેચાન તું.
તું ધુપ હૈ જમસે બીખર, તું હૈ નદી ઓ બેખબર, બહે ચલ કંહી, ઉડ ચલ કંહી, દિલ ખુશ જંહા, તેરી તો મંઝિલ હૈ વંહી’ –તારે ઝંમી પર
Ketan Shukla- 9429315055 –ketan68@gmail.com Home page - mycorner.hpage.com
Blog- grassrooteducation.blogspot.com

No comments:

Post a Comment