કેળવણી એક પ્રક્રિયા, નહી કે પરિણામ. સોક્રેટીસે એપોલોડોરસ અને ક્રિશ્યસ બન્નેને એક સરખો પ્રેમ આપ્યો છતા બન્નેએ એક બીજાથી વિપરીત કાર્યો કર્યા. પરીણામે સોક્રેટિસને ઝેર પીવાનો વારો આવ્યો પણ પ્રક્રીયા તો સોટચનું સોનું હતી. સોક્રેટિસથી ઉત્તમ શિક્ષક મે બીજો કોઇ નથી અનુભવ્યો. પણ આપણેં કોઇ પણ ભોગે કોઇ પણ રીતે કહેવાતું સારુ પરીણામ જોઇએ. એવું પણ બને કે ચોરી કરતાં ન આવડતું હોય તેવી શાળાનું પરિણામ ઓછુ આવી શકે પણ તેના પ્રામાણિકતામાં 100માંથી 100 ગુણ હોઇ શકે. પણ પ્રામાણિકતાના કોઇ ગુણ હોતા નથી તો ક્યાંથી પ્રેરણાં મળે ? ગાંધી જેવા ગાંધીનેપણ આપણે બીજામાંથી જોઇ નકલ કરવાનું શીખવવા પ્રયાસ કર્યો છે. કદાચ સદી ન પણ મારી શકાય પણ કેવી રીતે રમ્યા તે મહત્વનુ છે. આ દીલથી કરેલો પ્રયાસ એજ સાચી કેળવણી. બાકી મૂલ્યાંકન કરવાં વાળા આપણેં કોણ છીએ? ક્યારે કોણ ગાંધી બની જશે,કોણ લીંકન થઇ જશે એ કોઇ થોડું કહી શકવાનું છે. અગણીત શક્યતાઓ સમાયેલી છે. આપણે આ પ્રક્રિયામાં માત્ર સહાયક કે ઉદ્દિપક બનવાનું હોય છે બાકી શક્તિ તો તેઓ પોતેજ લઇને આવ્યા છે,પરીણાંમ તો તેની પોતની પાસેજ હોય છે અને ન્યાય તો સમય કરે છે. વિન્સેંટ વાન ગોગ કે ગાલીબ જેવા સંવેદંશીલ મહાન સર્જકો જીવનમાં નિષ્ફળ ગયા એમાં સમાજની નબળાઇ છે. આજે તેનો આપણને અફસોસ છે. ગાંધીને મેગસેસે ન મળ્યો તેમા ગાંધીનું નહી પણ મેગસેસેનું અપમાન છે. આપણેં આવું તો અનેક ચૂકી ગયા છીએ અને છતાં ચૂકતાએ જઇએ છીએ કારણકે સમાજને તો ક્યારેક એકાદ બે સદી પછી સમજાય છે. આવી મહાન હસ્તીઓને ખૂબ ભારે અન્યાય થઇ જાય છે જ્યારે બે કોડીની કિંમત વાળાની વાહવાહ થઇ જાય છે. ઘણાં પરીણામો છેતરામણાં હોય છે. રાવણની લંકા ખુબજ સુંદર હતી પણ તે કેળવણીનું પ્રમાણ ન થઇ શકે. કેળવણી એ રીતનું નામ છે. તાજમહેલ સુંદરતાનું પ્રતિક થઇ શકે પણ કેળવણીનું નહી. શાળાઓની ભૌતિકતાનું કોઇજ મૂલ્ય નથી પણ તેની ખરી રીત મહત્વની છે. પણ અપણેં આ માયાવી રચનાના ભોગ બની ગયા છે એ. મેં સાંભળ્યુ છે કે શ્રી વિનોબા આશ્રમ પવનારને નવા મકાનો માટે સરકારે નાણાં આપ્યા પણ તેમણેં એ પરત કર્યા અને એના એજ સાદા ગાર માટીના મકાનોમાં રહેવાનું અને તેમને સંભાળવાનું પસંદ કર્યું. મારો અહોભાવ હતો તેના કરતા અનેક ગણોં થઇ ગયો.
કામ કરતાં પહેલા આપણને પરીણામની ચીંતા થાય છે. છોકરાઓ નાપાસ થતા નાસીપાસ થાય છે. આપણેં પુરેપુરા result oriented થઇ ચુક્યા છીએ. આજના આ સમયમાં નૈતિકતાના પાઠનું શું પરીણામ આવે તે આપણેં જાણીએ છીએ અને એટલેજ અનૈતિકતાનો માહોલ જામ્યો છે. પણ એ બધુજ તકલાદી અને જીવનને નષ્ટ કરનારુ છે. સત્ય અચલ છે આ ભવમાં નહી તો ફરી ક્યારેક અંહી આવ્યા સીવાય આપણોં છુટ્કારો નથી.
No comments:
Post a Comment